દિયોદર જી આઈ ડી સી એસોસિએશન દ્વારા માર્કેટ યાર્ડ નવી ચૂંટાયેલ ટિમ નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર

વર્તમાન સમય દિયોદર નવીન માર્કેટ યાર્ડ માં પરિવર્તન પેનલ ની જીત થવા પામી હતી. જેમાં ચેરમેન તરીકે ઈશ્વરભાઈ તરક અને વાઇસ ચેરમેન તરીકે પરાગભાઈ જોષી ની વરણી થવા પામી હતી. જેમાં માર્કેટ યાર્ડ માં ડિરેક્ટર પદે દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા ની પસંદગી થતા આજરોજ દિયોદર ઔધોગિત વેલ્ફેર એસોસિએશન દ્વારા દિયોદર એ.પી.એમ.સી. માર્કેટ સમિતિ ના નવા તમામ હોદેદારો ટિમ નું સત્કાર સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ હોદેદારો ને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જે.બી.દોશી, ઈશ્વરભાઈ પટેલ (બનાસ ડેરી ડિરેક્ટર) દેવરામભાઈ જોષી તેમજ દિયોદર જી.આઈ.ડી.સી એસોસિએશન ના તમામ સભ્યો મોટી સંખ્યા માં સોસીયલ ડિસ્ટન સાથે હાજર રહા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment